0

Share

એસીઆઈસી દ્વારા કથક ક્વીન શ્રીમતી જयंતીમાળા મિશ્રા, સુપ્રસિદ્ધ અભિનેતા રાજેશ મિશ્રા તથા અન્ય કલાકારોને ભવ્ય સમારોહમાં કરાયા સન્માનિત

Post details:

એન્ટી કરપ્શન ઇન્ટેલિજન્સ કમિટી (ACIC) ના રાષ્ટ્રીય સચિવ, અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅટ) ના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે જણાવ્યું કે એસીઆઈસીના ઠાણે સ્થિત મુખ્યાલયમાં તારીખ 22 નવેમ્બર 2025, શનિવારે આયોજિત ભવ્ય સન્માન સમારોહ અત્યંત સફળતાપૂર્વક પૂર્ણ થયો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને માલાર્પણ કરીને તથા “જય જય જય ભાવાની, જય જય જય શિવાજી”, “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નાદ સાથે કરવામાં આવી.
આ સમારોહમાં કથક નૃત્યંગના—જેઓને કથક ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે—શ્રીમતી જયંતિમાલા મિશ્રા તથા જાણીતા અભિનેતા, થિયેટર આર્ટિસ્ટ, એનએસડી રિપોર્ટર અને વિવિધ ટીવી સિરીયલોમાં સહ-અભિનેતા તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજેશ મિશ્રાને તેમના-તેમના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં અલગ-અલગ આઠ ભાષાની ફિલ્મોમાં હિરોઇન તરીકે કાર્ય કરનાર અભિનેત્રી સંગીતા તિવારીએ પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવી, જેના કારણે સમારોહની શોભામાં વધુ વધારો થયો.
એસીઆઈસીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ આશુતોષ ત્રિપાઠીએ જયંતિમાલા મિશ્રાના કથક નૃત્ય ક્ષેત્રમાં કરેલા અનન્ય યોગદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારને તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવાની માગણી કરી. આ સંદર્ભમાં ભારત સરકારને પત્ર મોકલવાની સંસ્થાની તરફેથી રજૂ થયેલી માંગ પર તમામ સભ્યોએ એકમતથી મંજૂરી આપી.
શંકર ઠક્કરે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે નૃત્ય, ભાષા અને સંગીત કોઈ સરહદ કે મર્યાદાથી બંધાયેલા નથી. આપણા આદર્શો—મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, શ્રીકૃષ્ણ તથા અનેક સાધુ-સંતો અને યૂગ પુરુષોએ સમગ્ર દેશનો પ્રવાસ કર્યો. છતાં પણ આપણા તમામ પ્રાંતોની ભાષા જુદી હોવા છતા ક્યારેય ભાષાના નામે વિવાદ થયો હોવા નું ન તો સાંભળવામાં આવ્યું છે, ન તો વાંચવામાં. તેથી ભાષાના નામે વિવાદ ઊભો કરનારાઓને અમારી નમ્ર વિનંતી છે કે તેનો અંત લાવો અને ભાઈચારો જાળવો.
તમામ સભ્યો અને આમંત્રિત મહેમાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને ભવ્ય સફળતા આપી. બંને વિશિષ્ટ હસ્તીઓને સન્માન ચિહ્ન અને શોલ ઓઢાવી સન્માનિત કરવામાં આવ્યા તથા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.
આ પ્રસંગે મહિલાઓ માટે અત્યંત જરૂરી એવા ‘માનસી’ સેનિટરી પેડનું લોન્ચિંગ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું. એસીઆઈસીની મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રેયા તટકરે જણાવ્યું કે સેનિટરી પેડના ઉત્પાદન પાછળનો મુખ્ય હેતુ મહિલાઓને રોજગાર આપવાનો તથા કિફાયતી ભાવમાં જૈવિક પ્રક્રિયા વડે તૈયાર સેનિટરી પેડ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ અવસર પર નૂર બાનો ઘૌસને વર્ષ 2025ની સર્વશ્રેષ્ઠ સમાજસેવિકા તરીકે સન્માનિત કરવામાં આવી.
કાર્યક્રમ બાદ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સાંજને યાદગાર બનાવી.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.