0

Share

૨૬ ડિસેમ્બર બાલશહાદત દિવસ તરીકે મનાવવામાં આવશે :દેવેન્દ્ર ફડનવીસ ગુરુ ગોવિંદસાહેબના પુત્રોને મોગલોએ દીવાલમાં ચણી દીધા હતા

Post details:

મુંબઇ શીખ સંપ્રદાયના ગુરુદ્વારા મા માથું ટેકવી પ્રાર્થના દ્વારા મને અદભુત શાંતિ મળી છે તેમ જ આજનો દિવસ ૨૬ ડિસેમ્બર બાલ શહાદત તરીકે ઉજવવામા આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે અહીં વાત કરી હતી.ભારત ના ઇતિહાસમાં સંસ્કૃતિ અને દેશને બચાવવા શીખ ગુરુ ગુરુતેગબહાદુર તેમ જ ગુરુ ગોવિંદસાહિબનું મોટુ યોગદાન છે. મોગલો સામે દેશને બચાવવા યુદ્ધ દરમિયાન અનેક શીખ લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે ખાસ કરીને આ લડાઈમાં ગુરુગોવિંદસિંહ ના ૬ અને ૯ વર્ષીય બાળકોને મોગલોએ દીવાલમાં જીવતા ચણી દીધા હતા પરંતુ તેમ છતાં ગુરુ ગોવિંદસિંહ હિંમત હાર્યા નહોતા અને પરિવાર સહિત યોદ્ધાઓ સાથે મોગલ સામે લડતા શહીદ થયા હતા. ભારતનો ઇતિહાસ ગવાહ છે આથી જ વડાપ્રધાને ૨૬ ડિસેમ્બરને બાલ શહાદત તરીકે જાહેર કર્યો છે.શીખ સમુદાય હમેશા ધર્મને પડખે ઉભો રહ્યો છે સૈન્યમાં પણ તેમની શોહરત ગરવી છે આથી જ કોઈ પણ પક્ષપાત કર્યા વિના શીખલોકોના જજબા ને તેમણે વંદન કર્યું હતું. વડાપ્રધાનના વિકાસના કામમાં પણ શીખસમુદાયનો સિંહફાળો હોવાનું ઉમેરી ફડનવીસે બોલે સોં નિહાલ સતશ્રી અકાલ નો નારો લગાવ્યો હતો.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.