ઝેન ઝી આંદોલનનો વિજય, પણ હવે શું?
પેપર વેચનારની સાથે પેપર ખરીદનારા પર પણ કાર્યવાહી કરો
નીટ પરીક્ષાના પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિઓ અંગે અઠવાડિયા સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનો બાદ ભારતના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે.આમ સરકારે વિદ્યાર્થી આંદોલન સામે ઝુકવું પડ્યું.પણ શું આ વિદ્યાર્થીઓ અને વિપક્ષની જીત છે ક સરકારની સમજભરી પીછેહઠ. સંસદસત્ર ચાલે અને સરકાર પોતાના મહત્વના ખરડા રજૂ કરી શકે તે માટેની ગણતરી છે. જો ક મોદી સરકારે આટલા વર્ષોમાં ખેડૂત આંદોલન અને હવે ઝેનઝી આંદોલન સામે ઝુકવું પડ્યું તે હકીકત છે. વિપક્ષો દ્વારા આ વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ આ આંદોલનમાં સાથે રહ્યા પછી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે અનબનાવે થયો. ઝેનઝી ભલે વિજયનાદ કરે પરંતુ સરકાર તેમની ગણતરી ઉંધી વાળી શકે છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ વડાપ્રધાનને મોકલ્યું છે નહીં કે રાષ્ટ્રપતિ અથવા લોકસભા અધ્યક્ષને.
આ પ્રદર્શનોનું નેતૃત્વ કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવ્યું હતું – જે વાસ્તવિક પક્ષ નહીં, પરંતુ એક વ્યંગાત્મક ઝુંબેશ બની હતી જે રાષ્ટ્રીય ચળવળમાં ફેરવાઈ ગઈ હતી.
આ વિરોધ પ્રદર્શનો નરેન્દ્ર મોદીની સરકાર સામે વર્ષોમાં સૌથી મોટા અસંતોષના પ્રદર્શનોમાંનું એક બની ગયું હતું, દેશભરમાં પ્રદર્શનો ફેલાતા હજારો લોકો દિલ્હીમાં ધામા નાખી રહ્યા હતા.
ધીરેધીરે આ આંદોલન દેશભરમાં ફેલાઈ ગયું હતું અને વિપક્ષો તેનો ભરપૂર લાભ લઈ રહ્યા હતા. સંસદસત્ર પણ ખોરવાઈ ગયુ હતું અને સરકાર તેનો લાભ લઈ શકતી નહોતી. તેમના ખરડા રજૂ થઈ શક્યા નહોતા. આથી સત્ર ચાલે તે માટે આખરે શિક્ષણપ્રધાનનો ભોગ લેવાયો. પરંતુ આ કૌભાંડમાં અનેક મોટા માથાઓ અધિકારીઓ પણ શામેલ છે. આ ઉપરાંત પેપર ખરીદનારાઓ પણ એટલાજ જવાબદાર છે જેટલાં પેપર ફોડનારા અને વેચનારા. આ ખરીદી કરનાર માતાપિતા પર પણ કાર્યવાહી થવી જોઈએ.
ગયા અઠવાડિયે કાર્યકર્તા સોનમ વાંગચુકને બળજબરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ આંદોલને વેગ પકડ્યો હતો. શુક્રવારે તેમણે તેમની 26 દિવસની ભૂખ હડતાળનો અંત લાવ્યો હતો.જો કે તેમણે જે ત્રણ શરત મૂકી હતી તેમાં શિક્ષણપ્રધાનનું રાજીનામુ નહોતું. તેમણે હવે વતન લદાખ જવાની ઈચ્છા દર્શાવી હતી જે સૂચક છે.
સંસદ તરફ કૂચ કરી રહેલા વિરોધીઓ પર પોલીસ કાર્યવાહીથી પણ લોકોમાં રોષ ફેલાયો હતો.
એક વરિષ્ઠ ન્યાયાધીશે કેટલાક બેરોજગાર યુવાનો માટે “કોકરોચ” શબ્દનો ઉપયોગ કર્યા પછી, વિરોધીઓએ તેને સ્થિતિસ્થાપકતા અને અવજ્ઞાના પ્રતીક તરીકે ફરીથી સ્વીકાર્યા પછી, વિરોધ પ્રદર્શનકારોએ “કોકરોચ” શબ્દ અપનાવ્યો.
૨૦૧૪ માં સત્તામાં આવ્યા પછી, પીએમ મોદીની સરકારે ભાગ્યે જ અસંમતિને સહન કરી છે અને સામાન્ય રીતે વિરોધ પ્રદર્શનો પર કડક વલણ અપનાવ્યું છે.
તેણે પહેલા પણ પડકારોનો સામનો કર્યો છે અને એકમાત્ર એવો કિસ્સો હતો જ્યારે તેણે પીછેહઠ કરી હતી જ્યારે હજારો ખેડૂતોએ લગભગ એક વર્ષ સુધી વિરોધ કર્યા પછી ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કર્યા હતા.
આ વખતે, સરકારે સ્પષ્ટપણે વિરોધીઓના ગુસ્સા અને ટકી રહેવાની શક્તિને ઓછો અંદાજ આપ્યો હતો.
અઠવાડિયા સુધી તેમને અવગણ્યા પછી, આ અઠવાડિયે સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા વિરોધીઓ પર પોલીસ દ્વારા કરાયેલી ક્રૂર કાર્યવાહીને કારણે ભારે જાહેર ગુસ્સો ફેલાયો હતો, જેના કારણે આ અઠવાડિયે તેમને ગંભીરતાથી લેવાની ફરજ પડી હતી. એટલુંજ નહીં મોડી રાત્રે વડાપ્રધાન મોદી એ એકઃ સેલ્ફી વિડીયો દ્વારા આ મામલે દોષીતોને કોઈ પણ ભોગે બક્ષવામાં નહીં આવે તેવી જાહેરાત કરવી પડી. બીજી બાજુ કેબિનેટમાં ઠરાવ કરી આવા કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં તેમ જ દોષીતોને ૧૦ વર્ષની સજા અને ૧૦ કરોડ રૂપિયાના દંડની જાહેરાત કરવી પડી. જે આવતા સપ્તાહમાં સંસદમાં ખરડો લાવવામાં આવશે. પરંતુ હવે પાણી વહી ગયા પછી પાળ બાંધવાનું સુજ્યું તેમ લાગી રહ્યું છે.


