0

Share

સોલાપુરમાં નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે વિવાદનું સમાધાન કરવા માટે બોલાવી મહિલા પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ

Post details:

એક વર્ષ પહેલા, પીડિતાએ પાડોશી સાથેના વિવાદનું સમાધાન કરવા માટે તેના પરિચિત રાજેન્દ્ર રાઠોડને ફોન કર્યો. પીડિતાના પરિવારે સાંભળ્યું હતું કે તે ગામમાં વિવાદ નિવારણ એજન્ટ તરીકે કામ કરે છે. તેણે તેણીને બીજાપુર નાકા પોલીસ સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે કહ્યું. પછી એક દિવસ, તેણે તેણીને પોલીસ કમિશનરેટમાં ફરિયાદ નોંધાવવા માટે બોલાવી. અરજી દાખલ કર્યા પછી, રાઠોડ તેણીને ઘરે જતી વખતે તેના ફોર વ્હીલરમાં બેસાડી લઈ ગયો. ત્યારબાદ, તેણે તેણીને પીવા માટે પાણી આપ્યું અને તે કારમાં બેભાન થઈ ગઈ. જ્યારે તેણી જાગી ત્યારે, કાર સિદ્ધેશ્વર ફેક્ટરી પાસે ખુલ્લા મેદાનમાં હતી. ત્યાં કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવીને, તેણે તેના પર બળજબરીથી બળાત્કાર કર્યો. તેણે ફોટા અને વીડિયો બનાવ્યા. તે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી વારંવાર તેની સાથે બળાત્કાર કરતો રહ્યો. જ્યારે તે કામ માટે મુંબઈ ગઇ ત્યારે તેણે ત્યાં પણ તેની સાથે બળાત્કાર કર્યો.
તે મહિલા દર પૂર્ણિમાએ અક્કલકોટ જતી હોવાની જાણકરી મેળવીને એક વાર તેને કારમાં બેસાડી લઈ ગયો અને ગંગાપુર રોડ પરના એક લોજમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ, તે સતત તેના પતિને નોકરી પરથી કાઢવાની તેમજ , તેના બાળકોની હત્યા કરવાની ધમકી આપતો હતો. અને તેના ફોટા અને વીડિયો વાયરલ કરવાનું જણાવી તેને હેરાન કરતો રહ્યો. પતિને આ વાતની જાણ થતાં પીડિતાનો પરિવાર નાખુશ હતો. ત્યારબાદ, પોલિસમા ફરિયાદ નોંધાવી હતી.
કેસ નોંધાયા પછી, પોલીસે રાજેન્દ્ર રાઠોડની શોધ કરી હતી, પરંતુ તે હાલમાં ફરાર છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.