છેલ્લા કેટલાક દિવસોથી, રાજ્યના ઉત્તરીય ભાગો અને મધ્ય ભારત તરફ આવતા ઠંડા પવનોને કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. મુંબઈમાં પણ આવી જ સ્થિતિ છે, સોમવારે મુંબઈના હવામાન મથકના સાંતાક્રુઝ સ્ટેશનમાં લઘુત્તમ તાપમાન ૧૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં ૨.૨ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે.જોકે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે, પરંતુ અહીં લઘુત્તમ તાપમાન ૧૪ થી ૨૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે. આને કારણે, મુંબઈ અને તેના ઉપનગરોમાં સવારે વધુ ઠંડી અનુભવાય છે. રવિવારે હવામાન મથકના સાંતાક્રુઝ સ્ટેશન પર લઘુત્તમ તાપમાન ૧૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોમવારે, ત્યાં લઘુત્તમ તાપમાન ૧૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઘણા ઉત્તરીય રાજ્યોમાં ઠંડીનું મોજું છે અને હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાને કારણે ઠંડા પવનોને કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી હતી. ઉપરાંત, સોમવારે ઉત્તર કોંકણ, દક્ષિણ કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાયો હતો. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટશે અને કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૭ થી ૮ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે, હવામાન વિભાગે આગાહી કરી છે.સોમવારે રાજ્યમા અહિલ્યાનગરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યાંનું લઘુત્તમ તાપમાન ૭.૩ ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે પરભણીમાં લઘુત્તમ તાપમાન ૧૦.૬, નંદાડેમાં 10.8, જેઉરમાં ૮ માલેગાંવમાં ૮.૪, છત્રપતિ સંભાજીનગરમાં ૧૦.૫ , નાગપુરમાં ૯.૨, સાંગલીમાં ૧૩ અને સતારામાં ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
