0

Share

બીડમાં પત્ની દ્વારા માર મારવામાં આવતા પતિનું મોત,પત્ની વિરુધ્ધ ગુનો દાખલમુંબઈ પ્રતિનિધી.

Post details:

બીડના અંબાજોગાઈમાં એક ચોંકાવનારી ઘટના બની છે. પત્ની દ્વારા માર મારવામાં આવતા પતિનું મોત થયું છે. આ કેસમાં પત્ની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પત્નીએ તેના પતિને લાતો અને મુક્કાઓથી ગંભીર રીતે માર માર્યો હતો, જેમાં પતિનું ઇજાઓ થવાથી મૃત્યુ થયું હતું.
મૃતક પતિનું નામ કૈલાસ સરવદે છે. કૈલાસ સરવદેએ સાત વર્ષ પહેલા માયા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. આ માયાના બીજા લગ્ન હતા. કૈલાસ હંમેશા દારૂ પીતો હતો, તેથી તેમની વચ્ચે હંમેશા ઝઘડા થતા હતા. આવી ઝઘડાને કારણે માયા કૈલાસને માર મારતી હતી, જેમાં તે બેભાન થઈ ગયો હતો. તેને તેના સંબંધીઓ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. શબપરીક્ષણ રિપોર્ટ આવ્યા બાદ, માર મારવાથી તેનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. આ સંદર્ભે અંબાજોગાઈ શહેર પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુધ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.