પાલઘરના એક હાર્મહાઉસમાં વન વિભાગે કાર્યવાહી કરી અંદાજે ૧૨ કરોડ રૂપિયાનું રક્તચંદન જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં દક્ષિણનાં રાજ્યોમાંથી તસ્કરી દ્વારા આ રક્તચંદન મહારાર્ષ્ટમાં લાવ્યું હોવાનું જણાયું હતું.
વન વિભાગના અધિકારીઓને મળેલ જાણકારીને આધારે ગુરુવારની રાતે તેઓએ પાલઘર તાલુકાના દહિસર જંગલ વિસ્તારમાં આવેલા સાખરે ગામમાંના નિર્જન ફાર્મહાઉસ પર છાપો માર્યો હતો. રેઇડ દરમિયાન ફાર્મ હાઉસ પરિસરમાંથી રક્તચંદનનાં ૨૦૦ બંડલ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે.જપ્ત કરાયેલાં રક્તચંદનની કિંમત અંદાજે ૧૨ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે.
પાલઘર જિલ્લામાં વન વિભાગ દ્વારા તાજેતરનાં વર્ષોમાં કરાયેલી કાર્યવાહીમાં આ સૌથી મોટી હતી. જપ્ત રક્તચંદન ફોરેસ્ટ ઍક્ટ હેઠળ સંરક્ષિત છે અને તેની દાણચોરી પર પ્રતિબંધ છે. આ અંગે ગુનો નોંધીને સૂત્રધારોની શોધ ચલાવાઈ રહી છે,
આ ક્ધસાઈન્મેન્ટ ગેરકાયદે ચૅનલો દ્વારા વિદેશમાં મોકલવાની યોજના હતી, એવી શંકા છે.
પ્રાથમિક તપાસમાં ‘પુષ્પા’નામ સામે આવ્યું છે. આ દાણચોરોના નેટવર્ક દ્વારા ઉપયોગમાં લેવાતું કોડ નેમ હોઈ શકે અથવા સ્થાનિક હેન્ડલરનું નામ હોઈ શકે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
