કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે પોતાનો મક્કમ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્રમાં ભાજપને હવે કોઈની જરૂર નથી, પરંતુ તે પોતાના બળ પર એક મજબૂત પક્ષ તરીકે ઉભી છે. શાહે કાર્યકરોને એવો મંત્ર પણ આપ્યો હતો કે તેમણે વિપક્ષને ખતમ કરી નાખવો જોઈએ અથવા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ દૂરબીન દ્વારા દેખાતા ન હોવા જોઈએ.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શાહનું સૂચક નિવેદન કે ભાજપને હવે રાજ્યમાં કોઇની જરૂર નથી તે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે કે અજિત પવારને સંબોધિત હતું કે નહીં. કારણ કે અમિત શાહે ગયા વર્ષે નિવેદન આપ્યું હતું કે ભાજપ ૨૦૨૯માં પોતાની તાકાત પર રાજ્યમાં સત્તામાં આવશે.
ચર્ચગેટ ખાતે ભાજપના કાર્યાલયનો શિલાન્યાસ શાહ દ્વારા કરવામાં આવ્યો હતો. તે સમયે શાહે કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ, મુંબઈ પ્રમુખ અમિત સાટમ અને ભાજપના તમામ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો હાજર રહ્યા હતા.
શાહે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતીને ટ્રિપલ એન્જિન સરકાર સત્તામાં આવવી જોઈએ. ભાજપે હંમેશા નીતિના આધારે રાજકારણમાં કામ કરીને દેશના નાગરિકોના કલ્યાણ માટે સખત લડત આપી છે. ભાજપ રાજ્યમાં ચોથા સ્થાને હતો. હવે તે નંબર વન મજબૂત પક્ષ બની ગયો છે, શાહે કહ્યું, ભાજપની રચના જનસંઘ પછી થઈ હતી અને તે સમયના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ‘અંધેરા છતેગા, કમલ ખિલેગા..’ ના નારા લગાવ્યા હતા. પાર્ટીની સફરમાં, વાજપેયી પાછળથી વડા પ્રધાન બન્યા અને નરેન્દ્ર મોદી છેલ્લા ૧૧ વર્ષમાં ત્રીજી વખત વડા પ્રધાન બન્યા છે. આ પાર્ટી માટે ગર્વની વાત છે. ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં ત્રીજી વખત સત્તામાં આવી છે.
