0

Share

વિદેશીનો પરિત્યાગ કરો, સ્વદેશી અપનાવો : કૈટસ્વદેશી સંકલ્પ યાત્રાની તૈયારીમાં કૈટ સતના ટીમ

Post details:

મુંબઈ કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના “સ્વદેશી અપનાવો – આત્મનિર્ભર ભારત બનાવો” ના આહ્વાનને જનજન સુધી પહોંચાડવા માટે કૈટ અને સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત તત્વાવધાનમાં દેશવ્યાપી “સ્વદેશી સંકલ્પ યાત્રા” ની શરૂઆત નાગપુરમાંથી કરી છે. પ્રથમ તબક્કામાં આ યાત્રા મહારાષ્ટ્રના નાગપુરના વિદર્ભ વિસ્તાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં ફરશે તથા ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ જશે.આ જ અનુસંધાને આજે કૈટ ટીમની એક મહત્વપૂર્ણ બેઠક મધ્યપ્રદેશના સતના ખાતે ખેરમાઈ રોડ આવેલા કુર્લ ઑન હોમ ખાતે અશોક દૌલતાનીની અધ્યક્ષતામાં યોજાઈ.આ ઐતિહાસિક કાર્યક્રમનો શુભારંભ લોકસભા સાંસદ તથા કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેલવાલ, કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભારતિયા, સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ-સંયોજક સતીશકુમાર તથા ખેડૂત મોરચાના વરિષ્ઠ નેતા વિપુલ ત્યાગી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો છે.અશોક દૌલતાની જણાવે છે કે આ યાત્રા મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અભિયાનને દેશના દરેક ખૂણે આવેલા બજારો સુધી લઇ જવામાં આવશે તથા વેપારીઓ અને ગ્રાહકોને સ્વદેશી પ્રત્યે જાગૃત કરવામાં આવશે.સંભાગીય અધ્યક્ષ ચંદ્રશેખર અગ્રવાલજીને રથયાત્રાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.રથયાત્રાને સિમરિયા ચોક બસ સ્ટેન્ડ પરથી “સ્વદેશી અપનાવો – સમૃદ્ધ ભારત બનાવો” ના હેતુ સાથે જનપ્રતિનિધિ અને વેપારીઓ દ્વારા ભગવા ધ્વજ બતાવી રવાના કરવામાં આવશે.રથયાત્રા શહેરના મુખ્ય માર્ગોથી પ્રસરતી પન્નીલાલ ચોક ખાતે પહોંચશે જ્યાં એલઈડી મારફત રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્વદેશી જાગરણ મંચ દ્વારા સંબોધન કરવામાં આવશે.ત્યારબાદ શહેરના સ્ટેશન રોડ સહિતના વિવિધ માર્ગોથી રથને નગૌદ, ઉચેહાર અને મહેર તરફ રવાના કરવામાં આવશે.યાત્રા દરમિયાન વિવિધ શહેરોમાં “સ્વદેશી વેચો – સ્વદેશી ખરીદો” માટે લોકોને જાગૃત કરવામાં આવશે. કૈટનો હેતુ સ્વદેશી વિચારધારાને જડસ્તર સુધી પહોંચાડવાનો છે અને દરેક નાગરિકને “સ્વદેશી વેચો – સ્વદેશી ખરીદો” નો સંકલ્પ કરાવવાનો છે.કૈટના જિલ્લાધ્યક્ષ મનોહર વડવાણી અને મહામંત્રી અભિષેક જૈને સંયુક્ત રીતે જણાવ્યું કે આ યાત્રા મધ્યપ્રદેશના 32 જિલ્લાઓમાંથી પસાર થઈ 30.12.25 રોજ ભોપાલ પહોંચશે, જ્યાં મધ્યપ્રદેશ વિધાનસભાધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમર તથા કૈટ એમ.પી.ના પ્રદેશ અધ્યક્ષ સુનીલ અગ્રવાલ અને મહામંત્રી રાજીવ ખંડેલવાલ માર્ગદર્શન કરશે.સતના રથયાત્રા પ્રભારી ચંદ્રશેખર અગ્રવાલે જણાવ્યું કે સતના ખાતે બે દિવસીય કાર્યક્રમ 13/14 ડિસેમ્બરે યોજાશે.કૈટ અને સ્વદેશી જાગરણ મંચે આ પહેલને અન્ય મુખ્ય સંસ્થાઓ સાથે મળીને એક જનઆંદોલનમાં પરિવર્તિત કરવાનો સંકલ્પ લીધો છે.કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભારતિયાએ જણાવ્યું:“આ રથ માત્ર વાહન નથી, પણ આત્મનિર્ભર ભારતનો રથ છે, જે સ્વદેશી વિચારધારા, રાષ્ટ્રીય ગૌરવ અને આર્થિક સ્વતંત્રતાનું પ્રતિક બનશે. દરેક ઘર, દરેક બજાર અને દરેક નાગરિકને આ મુહિમ સાથે જોડવાનું જ અમારું લક્ષ્ય છે.”*શંકર ઠક્કરે કહ્યું કે કૈટનો હેતુ સ્વદેશી અપનાવો અને સમૃદ્ધ ભારત બનાવો એ છે*.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.