નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી પહેલી કોમર્શિયલ ડોમેસ્ટિક ફ્લાઇટ ગુરુવારેના રોજ ૨૫ ડિસેમ્બરથી શરૂ થઈ. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને સિટી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર (સિડકો) એ સંયુક્ત રીતે આ એરપોર્ટ વિકસાવ્યું છે. આજથી કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ થઈ રહી હોવાથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે અદાણી ગ્રુપે મુસાફરોને ક્રિસમસ ભેટ આપી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આજથી શરૂ થતા મુસાફરોના ટ્રાફિક પર ખુશી વ્યક્ત કરી. મિડિયા સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં તેમણે મુંબઈ વિશે પોતાની લાગણીઓ વ્યક્ત કરી.ગૌતમ અદાણીએ કહ્યું, આજે મુંબઈવાસીઓ માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. અમે ખરેખર ભાગ્યશાળી છીએ કે અમને આ એરપોર્ટ વિકસાવવાની તક મળી. આ નવું એરપોર્ટ બનાવતી વખતે, અમે તેને વિશ્વસ્તરીય બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ મુંબઈ ૧૦ વર્ષથી સંઘર્ષ કરી રહ્યું હતું. હાલનું મુંબઈ એરપોર્ટ ભીડભાડથી ભરેલું છે. આ એરપોર્ટ હવે મુંબઈ એરપોર્ટ પર હવાઈ ભીડ ઘટાડવામાં મદદ કરશે.”જ્યારે બેંગલુરુથી ઇન્ડિગોની ફ્લાઇટ 6E460 ગુરુવારે સવારે ૮ વાગ્યે રનવે પર ઉતરી, ત્યારે તેનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું. ઇન્ડિગોના સ્ટાફે કેક કાપીને અને નાળિયેર ફોડીને સ્વાગત કર્યું. મુસાફરોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી કે આ ક્ષણ ખૂબ જ ભાવનાત્મક અને આનંદદાયક હતી. ત્યારબાદ, ઇન્ડિગો ફ્લાઇટ 6E882 સવારે ૮.૪૦ વાગ્યે હૈદરાબાદ માટે રવાના થઈ.૯ કરોડ મુસાફરોની વાર્ષિક ક્ષમતા ધરાવતા, આ એરપોર્ટ પર પ્રથમ વર્ષમાં ૨ કરોડ મુસાફરોને હેન્ડલ કરવાનો લક્ષ્યાંક છે. ૧૫ જાન્યુઆરી પછી, દરરોજ ૪૮ ફ્લાઇટ્સ આવવા અને રવાના થવાની ધારણા છે. કાર્ગો ટ્રાફિક પણ પહેલા દિવસથી જ શરૂ થશે. આ એરપોર્ટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરનો ભાર ઘટાડશે.
